Thursday, 9 June 2016


જેવું વાવો એવું ઉગે

સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો.
એક વાર સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે ' બચાવો. બચાવો ' એવી બુમો સાંભળી. એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો. તેણે જોયું કે એક નાનો બાળક રોડના કાઠે આવેલ આ ખાડામાં ફસાઈ ગયો હતો . ફ્લેમિંગે એ બાળકને બચાવ્યો.

બીજા દિવસે એ બાળકના પિતા ફ્લેમિંગને અભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઈક મદદ જોઈતી હોય તો મદદ કરવાની તૈયારી બતાવી. ફ્લેમિંગે વિનમ્રતાપૂર્વક ના પાડી એને કહ્યું ' મેં જે કંઈ કર્યું છે  એ તો મારી એક માણસ તરીકેની ફરજ હતી.' આ બંને વચ્ચેની વાત ચાલતી હતી એ સમયે ફ્લેમિંગનો નાનો દીકરો શું અભ્યાસ કરે છે ?' ફ્લેમિંગે કહ્યું " શેઠ , અમારા ખેડૂતના દીકરાના નાસિબમાં ભણવાનું ના હોય.એ તો મારી સાથે કરશે." પેલા મહાનુભાવે કહ્યું , "ના.તે મારા દીકરાને બચાવ્યો છે તો હવે હું તારા દીકરાને ભણાવીશ ." એ મહાનુભાવ ફ્લીમીંગના દીકરાને ભણાવવા માટે પોતાની સાથે લઇ ગયા.

વર્ષો વીતી ગયા બાળપણમાં ખાડામાં પડેલા જે બાળકને ફ્લેમિંગે બચાવ્યો હતો એ યુવાન થઇ ગયો હતો પણ એ એની યુંવાવસ્થામાં ન્યુમોનીયાના ભયાનક રોગમાં સપડાયો પરંતુ એ સદનશીબ હતો કે એ જ અરસામાં ન્યુમોનીયાની રસી પેનેસીલીનની શોધ થઇ હતી . આ શોધને કારણે એ યુવાન બચી ગયો. આ યુવાનની જીવાદોરી સમાન પેનીસીલીનની શોધ કરનાર બીજું કોઈ નહી પરંતુ પેલા ખેડૂત ફ્લેમિંગનો દીકરો એલેકઝાડર ફ્લેમિંગ હતો અને નાનપણમાં ખેડૂતે બચાવેલો અને મોટો થઈને   એલેકઝાડર ફ્લેમીંગે બચાવેલો માણસ એટલે " વી  ફોર  વિકટરી " ના સૂત્ર દ્વારા પડી ભાંગેલા બ્રિટનમાં નવી ચેતના ભરનાર વિન્સ્ટન ચર્ચિલ।.

ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ - આઘાત અને પ્રત્યાઘાત સામસામાં અને સરખા હોય - એ માત્ર ભોતિકશાસ્ત્ર પુરતો માર્યાદિત નથી.જીવનમાં પણ લાગુ પડે છે.કંઈક મેળવવું હોય તો પહેલા કંઈક આપતા પણ શીખવું પડે

No comments:

Post a Comment